Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કડવીબાઇ વિદ્યાલયમાં માર્ગદર્શન સેમીનાર

 રાજકોટઃ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયમાં ધો. ૧૦ના અંદાજે ૩૩૦ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ધો. ૧૦ પછી શું? તજજ્ઞ શિક્ષક ભાવેશ્રીબેન હિરાણી દ્વારા મુદ્દાસર માહિતી આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના રસ, રૂચિ, યોગ્યતા, ક્ષમતા વગેરે બાબતોને સારી રીતે સમજી ભવિષ્યમાં ધો. ૧૦ પછી કયા પ્રકારની કારકિર્દી પસંદ કરવીએ સમજૂતી મેળવી. નિયામક શ્રી હિરાબેન માંજરીયા તથા ઇ. આચાર્યા સ્મૃતિબેન રાજાણી અને અન્ય શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:44 pm IST)