Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

નાગપુરમાં પૂ.ધીરગુરૂદેવનું પદાર્પણઃ ૩૯મી દીક્ષા જયંતીની રાયપુરમાં ઉજવણી

સુપર ડુપર આત્માની ત્રીજી આવૃતિની અર્પણ વિધી યોજાઈ

રાજકોટ,તા.૩: ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં અમરાવતીમાં શ્રીમતી ચંદ્રિકાબેન શાંતિલાલ ગોપાણી  પ્રેરિત સુપર ડુપર આત્માની ત્રીજી આવૃત્તિની અર્પણ વિધિ છબીલભાઈ લાઠીયા પરિવારના હસ્તે કરાયા બાદમ ભગવાન મહાવીર તકતીનો અમરીષ તનસુખભાઈ પારેખ અને ગૌતમલબ્ધિ તકતીનો લાભ ગિરીશભાઈ અને જયંતભાઈ કામદારે લીધેલ.

રાયપુર સંઘના પ્રમુખ મુકેશ ધોળકીયા વગેરેએ દીક્ષા જયંતિ ઉજવણીનાં લાભની રાયપુર સંઘની વિનંતિનો સ્વીકાર થતાં તા.૧૬ના પૂ.ધીરગુરૂ દેવની ૩૯મી તથા પૂ.મીનાજી મ.સ.ની ૨૯મી દીક્ષા જયંતી ઉજવાશે.

નાગપુર સંઘના રમેશ શાહ, ભરત બાટવીયા, જિતેશ ગોડા, સંઘરાજકા વગેરે વ્યવસ્થા કરી રહેલ છે. કલકતા સંઘના પ્રમુખ રાજેન કામદાર વગેરેએ શુભેચ્છા પ્રવચન કરેલ.

(3:40 pm IST)