Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ભગવતીપરામાં અગ્નિસ્નાન કરનાર સગર્ભા ફીઝાનું મોતઃ અગાઉ સસરાનું મોત થયું હતું

રાજકોટ તા. ૩૧: ભગવતીપરા પચ્ચીસ વારીયામાં રહેતી નવોઢા મુસ્લિમ સગર્ભા ફીઝા શબ્બીર ગોયલ (મીર) (ઉ.વ.૨૦)એ ગુરૂવારેે  સાંજે અગ્નિસ્નાન કરી લેતાં તેને ઠારવા જતાં સસરા પણ દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં મોડી રાતે સસરાનું મોત નિપજ્યું હતું. સારવાર દરમિયાન ફીઝાએ પણ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

મૃત્યુ પામનાર ફીજાના આઠ માસ પહેલા જ નિકાહ થયા હતાં અને હાલમાં તેણી સગર્ભા હતી. તેણીએ પોતાને માતા-પિતાની સતત યાદ આવતી હોઇ એ કારણે પગલુ ભર્યાનું કહ્યું હતું. ફીઝાને ઠારતી વખતે સસરા રમઝાનભાઇ ઉમરભાઇ ગાયલ (ઉ.વ.૫૦) અને પતિ શબ્બીર ગાયલ (ઉ.૨૧) પણ દાઝી ગયા હતાં.

મૃત્યુ પામનાર ફીઝાના માતા-પિતા હયાત નથી. તેણી બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના ફઇ નવાગામ આણંદપરમાં રહે છે. લગ્ન થયા ત્યારથી તે અવાર-નવાર પતિને પોતાના માતા-પિતા ન હોઇ તેમની બહુ યાદ આવતી હોવાની વાત કરતી હતી. પતિ શબ્બીર ગાયલ ભંગારના ડેલામાં મજૂરી કરે છે. પિતા બાદ પત્નિને ગુમાવનાર શબ્બીર શોકમાં ગરક થઇ ગયો છે.

(3:38 pm IST)