Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

રવિરત્ન પાર્ક નાગરીક મંડળ દ્વારા ૨૦૬ પરિવારોને રાશનકીટ વિતરણ

રાજકોટ : રવિરત્ન પાર્ક નાગરીક મંડળના પ્રમુખ આર.સી. પટેલ તથા મંત્રી સી.એન. જાવીયાની યાદી જણાવે છે કે દર મહિનાના પહેલા રવિવારે ૨૦૬ નિરાધાર પરીવારોને રાશનકીટ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. સમારોહના અતિથિ વિશેષ તરીકે સંસ્થાના મેને.ટ્રસ્ટી ગોવિંદભાઈ ખુંટ, વિમલ લાઈટરવાળા બાબુભાઈ પટેલ, ઓરબીટ બેરીંગના મગનભાઈ વરાસડા, પ્રભાબેન વરાસડા, છગનભાઇ સાવલીયા, લક્ષ્મીદાસભાઈ વડાલીયા, મનસુખભાઈ ધોળકીયા, જે.યુ.વાછાણી, દિલીપભાઈ કાનાણી, શિવાનીબેન વરાસડા, સુરેશભાઈ મકવાણા (રાજ બેંક) તથા વૈશાલીબેન પટેલ (એડવોકેટ) ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઈ પટેલ તથા સુરેશભાઈ મકવાણાએ સંસ્થાની માનવસેવાની સેવાઓને બિરદાવી હતી.

સમારોહને સફળ બનાવવા આર.સી.પટેલ, સી.એન. જાવીયા, વી.ડી.ઠક્કર, મણીભાઈ ઘોડાસરા, ધીરૂભાઈ ઝાલાવડીયા, જી.બી. મગનભાઈ ઝાલાવડીયા, જગદીશભાઈ પટેલ, નરોતમભાઇ ફળદુ, મલ્લી, નટુભાઈ કણસાગરા, જમનભાઈ સાપરીયા, જાદવભાઈ કેનેરીયા, મગનભાઈ વાછાણી, લલીતભાઈ સરડવા, રમણીકભાઈ કણસાગરા, ભાવેશ ભટ્ટ, ધીરૂભાઈ ફળદુ, હરેશભાઈ મારડીયા, જેન્તીભાઈ ઢોલરીયા, જેન્તીભાઈ ચપલા, જયેશ ત્રાંબડીયા, શૈલેષ ડઢાણીયા, મહેશ બાવરવા, ઉદયભાઈ કાલાવડીયા, આર.કે.ઝાલાવડીયા, મયુર ડેડાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મગનભાઈ ઝાલાવડીયા તથા આભારવિધિ સી.એન.જાવીયાએ કરી હતી.

(3:35 pm IST)