Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

રાજકોટમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ રથયાત્રા સમિતી કાર્યાલયનો પ્રારંભ

ખીરસરાઃ રાજકોટમા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરાત્રી ના દિવસે શિવ રથયાત્રા કાઢવામાં આવે છે જે આ શિવરાત્રી એ સાતમાવર્ષમા પ્રવેશી રહેલ છે રાજકોટ કોઠારીયા રોડ થી શિવરથ યાત્રા ની શરૂઆત કરવામાં આવે છે તે નગર ચરીયા કરેછે શહેરના તમામ શિવભકતો આ યાત્રા માં જોડાઈ છે જેના ભાગ રૂપે રાજકોટ દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો સાધુ-સંતોની ઉપસ્થિતિ માં દિપ પ્રાગટ્ય કરી શિવરથ યાત્રા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ આ પ્રસંગે સમાજના આગેવાનો એ બહોળી સંખ્યામાં હાજરી આપેલ અને રાજકોટ શહેરની ધર્મ પ્રેમી જનતાને શિવરથ યાત્રામા વધુને વધુ જોડાવા આમંત્રણ પાઠવાયું હતું. (તસ્વીર- અહેવાલઃ ભીખુપરી ગોસાઇ.ખીરસરા)

(11:59 am IST)