Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સરદાર પટેલ કોલોનીના મંજુલાબેન રામાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨: કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતાં મંજુલાબેન વિનોદભાઇ રામાણી (ઉ.વ.૫૧) બિમાર હોઇ અમદાવાદ સારવાર માટે લઇ જવાયા બાદ તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મંજુલાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ચાંદી કામ કરે છે. પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:59 pm IST)