Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શ્રી અવધેશ્વર મહાદેવ મંદિરે શાસ્ત્રી કૌશીકભાઇ ભટ્ટના વ્યાસાસને આયોજીત શ્રીરામ કથામાં બુધવારે શ્રી રામેશ્વર સ્થાપનાઃ ૧૦૪ વર્ષના વૃધ્ધાનું સન્માન

રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ અયોધ્યા ચોક નજીક શ્રી અવધેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યા રેસીડેન્સી અને સિધ્ધી વિનાયક પાર્કના લતાવાસીઓ દ્વારા રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશીકભાઇ ભટ્ટના વ્યાસાસને શ્રીરામ કથાનું આયોજન કરાયું છે. શ્રીરામ કથામાં તા. ૪ને બુધવારે સાંજે ૭ વાગ્યે શ્રી રામેશ્વર સ્થાપના કરવામાં આવશે તથા તા.પને ગુરૂવારે શ્રીરામ કથા વિરામ લેશે. દરરોજ બપોરે ૩ થી ૭ દરમિયાન શાસ્ત્રી કૌશીકભાઇ ભટ્ટ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવે છે. શ્રીરામ કથામાં બિપીનભાઇ મહેતાના ૧૦૪ વર્ષના માતુશ્રી  સવિતાબેન કરૂણાશંકર મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.

(3:28 pm IST)