Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

વિશ્વ શાંતિ માટે દરેક જ્ઞાતિઓએ એક થવુ જોઈએ

જયપુરની વિશ્વ હિન્દી સાહિત્ય પરિષદના ચાન્સલર ગણેશીયાજી રાજકોટમાં

રાજકોટ, તા. ૨ : વિશ્વમાં શાંતિ માટે દરેક જ્ઞાતિઓએ એક થવું જોઈએ તેમ જયપુરના વિશ્વ હિન્દી સાહિત્ય પરિષદના ચાન્સલર શ્રી એસ. સી. ગણેશીયાજીએ જણાવ્યુ હતું તેઓ આજે રેસકોર્ષ ખાતે આયોજીત ઈદે મિલાદુન્નબીના કાર્યક્રમમાં હાજર રહી એક પેમ્પલેટનું વિમોચન કરનાર છે. શ્રી ગણેશીયાજીનો પરિચય જાણીએ તો તેઓ ડો. ભીમરાવ આંબેડકર યુનિ. લખનઉના ચેરમેન છે. તેઓ ધ નોબલ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. જેમાં ગરીબ બાળકોને દત્તક લઈ તેઓને પ્રોત્સાહિત કરે છે. તસ્વીરમાં એસ. સી. ગણેશીયાજી સાથે ચિત્રાજી ગોહિલ, મીથલેશજી, સ્વામી વિશ્વાનંદજી તેમજ મૌલાન અનશ જૂનાગઢી, ગફાર ઈસ્માઈલ કાદરી અને ગફારખાન નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(5:06 pm IST)