Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રૈયાધાર પાસે નવા બિલ્ડીંગમાં આઠમા માળેથી પટકાતાં યુપીના મજૂરનું મોત

છજાનું કામ કરતી વખતે રાતે પડી ગયા બાદ સારવારમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨: રૈયાધાર પાસે નવા બની રહેલા સ્વસ્તિક હાઇલેન્ડ નામના બિલ્ડીંગમાં મજૂરી કરતાં મુળ યુપીના મહાનંદ માર્કંડભાઇ બામજીભાઇ  (ઉ.વ.૪૮)  રાતે આઠમા માળેથી પડી જતાં મોત નિપજ્યું છે.

મહાનંદ માર્કંડભાઇ રાતે સાડા દસેક વાગ્યે બિલ્ડીંગના આઠમા માળે છજાનું કામ કરતાં હતાં ત્યારે પગ લપસતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃતક મુળ યુપીના વતની હતાં અને સાઇટ પર પત્નિ, પુત્રી સાથે રહેતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(3:33 pm IST)