Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સીતારામ સોસાયટીમાં કારખાનેદાર જગદીશભાઇ સાવરીયાના મકાનમાં ૧.૪૧ લાખની ચોરી

કડીયા પરિવાર ડભોઇના પોઇચા ખાતે દર્શન કરવા ગયાને પાછળથી તસ્કરો કળા કરી ગયા

રાજકોટ, તા.૨: એંસી ફુટ રોડ પર સીતારામ સોસાયટીમાં રહેતા કડીયા કારખાનેદારના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.૧.૪૧ લાખની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એંસી ફૂટ રોડ હુડકો કર્વાટર પાછળ સીતારામ સોસાયટી શેરી નં.૧માં રહેતા અને પટેલ નગરમાં ડી.એચ.આશીષ એન્જીનિયરીંગ વર્કસ નામનું કારખાનું ધરાવતા જગદીશભાઇ હીરાભાઇ સાવરીયા (ઉ.વ.પપ) ગત તા.૨૯-૧૦ ના રોજ પત્નિ તથા ભત્રીજા જીજ્ઞેશભાઇ નટુભાઇ સાવરીયા સાથે ડભોઇના પોઇચા ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે પાછળથી તેના બંધ મકાનમાં અજાણ્યા શખ્સો ફળીયામાં પ્રવેશ કરી બારી તોડી રસોડાના દરવાજાનો લોક તોડી રસોડામાં લાકડાના કબાટમાંથી રૂ.૪૫૦૦ તથા પહેલા માળે બેડરૂમમાં કબાટમાંથી રૂ.૧.૩૨ લાખના દાગીના મળી રૂ.૧,૪૧,૫૦૦ની માલ મતા ચોરી ગયા હતા. પરિવારજનો ગઇકાલે પરત આવ્યા ત્યારે મકાનમાં આવેલ હોલની બારી તુટેલી ફળીયામાં પડી હતી અને અંદર રૂમમાં અને રસોડામાં સામાન વેરવીખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ જાણ કરતા ભકિતનગર પોલીસે સ્થળ પર પહોંચી જગદીશભાઇની ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. આર. એન. સાંકળીયાએ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)