Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

માનસીક બીમારીથી કંટાળી સજુબેન ડોડીયાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

માલધારી ફાટક પાસે બનાવ

રાજકોટ, તા. ર : માલધારી ફાટક પાસે માનસીક બીમારીથી કંટાળી મહિલાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોટડાસાંગાણીમાં કાંગસીયાળી રોડ પર બજરંગ સોસાયટીમાં ભાઇ-ભાભી સાથે રહેતા સજુબેન છગનભાઇ ડોડીયા (ઉ.વ.૪પ)એ માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આસુંદરા તથા રાઇટર કલ્પેશભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી. મૃતક સજુબેન અપરણિત હતા તેને ઘણા સમયથી માનસીક બીમારી હોઇ તેનાથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખૂલ્યું છે.

(3:45 pm IST)