Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

નવલનગરના રાકેશ ચૌહાણે ફોનનો ભુક્કો બોલાવી દીધા બાદ ઝેર પી આપઘાત કર્યો!

છોકરીનું પ્રકરણ હોવાની મૃતકના ભાઇ શકિતવાન ચોૈહાણને શંકા

રાજકોટ તા. ૨: નવલનગર-૧માં આનંદ બંગલા ચોક પાસે રહેતાં રાકેશ શંકરભાઇ ચોૈહાણ (ઉ.૩૫) નામના યુવાને ગઇકાલે બપોરે ઘરે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ કે. વી. માલવીયાએ જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. એસ. બી. પરમાર અને અરૂણભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં મોટો અને કુંવારો હતો. તે કારખાનામાં મજૂરી કરતો હતો. તેના ભાઇ શકિતવાન ચોૈહાણના કહેવા મુજબ કોઇ છોકરીનું લફરૂ હોવાની અમને શંકા છે. ગઇકાલે રાકેશભાઇએ કોઇ સાથે ફોનમાં વાત કર્યા બાદ પોતાનો ફોન તોડી નાંખ્યો હતો અને બાદમાં આ પગલુ ભર્યુ હતું. મેં તેને પુછતાં તેણે 'તું આમાં ન પડતો, તું પણ હેરાન થઇ જાઇશ...' એટલુ જ કહ્યું હતું.

પોલીસે કારણ જાણવા તપાસ યથાતવ રાખી છે.

(1:09 pm IST)