Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બગીચામાં ઝેરી દવા પી લેનારા મવડી પ્લોટ રાધેશ્યામ સોસાયટીના અજય પ્રજાપતિનું મોત

પરમ દિવસે નવલનગર બગીચા પાસે ઝેર પી લીધા બાદ ઘરે પહોંચતા દાખલ કરાયો હતોઃ માતા-પિતાનો એક જ પુત્ર હતો

રાજકોટ તા. ૨: મવડી પ્લોટની રાધેશ્યામ સોસાયટી-૧માં રહેતાં અજય જયેશભાઇ ટીંબડીયા (ઉ.વ.૨૪) નામના પ્રજાપતિ યુવાને પરમ દિવસે રાતે નવેક વાગ્યે નવલનગર પાસેના બગીચામાં ઝેરી દવા પી લીધા બાદ ઘરે જઇ વાત કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત સાંજે તેણે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર અજય માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. તેના માતાનું નામ જયશ્રીબેન છે. પિતા જયેશભાઇ ઇલેકટ્રીક કામ કરે છે. અજયએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ કારણ જાણતા નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએઅસાઇ રાજપુરોહિત અને મહેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. એએસઆઇ આર. બી. જાડેજાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)