Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા બાપુને વંદના

રાજકોટ : ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા આજરોજ ૨જી ઓકટોબરના પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે જયુબેલી ગાર્ડન ખાતે પૂજય બાપુની પ્રતિમાને ફુલહાર કાર્યક્રમ રાખવામાં આવેલ. આ તકે ટીમ ઈન્દ્રનીલ ફોર યુના સભ્ય બહોળી સંખ્યામાં હાજર રહેલ અને પૂજય બાપુની વિચારધારાને વળગી રહી જીવન જીવવા સૌએ શપથ લીધેલ અને સાચા હૃદયથી પુષ્પાંજલી અર્પણ કરેલ. આ તકે ટીમ ઈન્દ્રનીલ ફોર યુના વશરામભાઈ સાગઠીયા, રાજભા ઝાલા, અભિષેકભાઈ તાળા, રાજુભાઈ શેઠ, ભરતભાઈ આહિર, મચ્છાભાઈ ગોહિલ, જીતુભાઈ રાઠોડ, જીતુભાઈ ઠાકર, યજ્ઞેશ દવે, મેઘજીભાઈ રાઠોડ, શૈલેષ મહેતા, શ્રી જસાણી, ગજુભા ઝાલા, વિજયભાઈ નકુમ, હિમ્મતભાઈ લાબડીયા, સંજયભાઈ વડેચા, રીટાબેન વડેચા, કમલેશભાઈ મકવાણા, જીતુભાઈ ઠાકર, અંકુરભાઈ ગજ્જર, હેમંતભાઈ વીરડા, ભરતભાઈ ધોળકીયા, યશવંતભાઈ જસાણી, એ.વી.જોષી, જયંતિભાઈ ધોળકીયા સહિતના હાજર રહેલ.

(3:30 pm IST)