Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

મંદિરે જતી વખતે 'હિટ એન્ડ રન'માં ઘવાયેલા રૈયાના જશુબેન ભરવાડનું મોત

ચાર દિવસ પહેલા મેલડી માતાના મંદિરે જતી વેળાએ અજાણ્યો વાહન ચાલક ઉલાળીને ભાગી ગયો'તોઃ આજે દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: ચાર દિવસ પહેલા રૈયા ગામના ભરવાડ મહિલા હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ થયા હતા. તેમનું સારવાર દરમિયાન આજે મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રૈયા ગામમાં જુના ભરવાડ વાસમાં રહેતાં જશુબેન હીરાભાઇ  ચાવડા (ઉ.૫૫) નામના ભરવાડ મહિલા તા. ૨૯/૭ના સાંજે ઘરેથી ચાલીને નજીકના મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે ગામના સ્મશાન પાસે કોઇ વાહનનો ચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત જશુબેન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે મૃત્યુ નિપજ્યું હતું.

મૃતકને બે પુત્ર અને એક પુત્રી છે. પતિ નિવૃત જીવન જીવે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી એએસઆઇ એચ. એન. રાયજાદાએ મૃતકના પુત્ર રામભાઇ ચાવડાની ફરિયાદ પરથી અજાણ્યા ડબલસવારીમાં નીકળેલા મોટરસાઇકલના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

(3:38 pm IST)