Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અનુકરણીય વેવિશાળ પ્રસંગે અબોલ જીવોને ભોજન

રાજકોટ : શ્રીમતી ઉષાબેન અને શ્રી જયેશકુમાર અનડકટની સુપુત્રી તથા પ્રિતભાઇના બહેન અંજલી તથા વિદ્યાબેન અને શ્રી બીપીનભાઇ હીરાલાલ કોટકના સુપુત્ર તેમજ ચિરાગભાઇ કોટકના ભાઇ તેમજ રાધીકાબેનના દિયર મયંકકુમારની સગાઇ પ્રસંગે દિકરી જમાઇ તથા બન્ને પરિવારોએ સાથે મળી અબોલ જીવોને ભાવતા ભોજન કરાવી આશીર્વાદ મેળવવાની અનોખી પહેલ કરી છે. આ કાર્ય માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રેરીત એનિમલ હેલ્પ લાઇનનું માર્ગદર્શન લેવાયુ હતુ. ઉલ્લેખનીય છે કે જયેશભાઇ અનડકટ છેલ્લા ૩૦ વર્ષથી ઇન્ટરનેશનલ કુરીયર એન્ડ કાર્ગો સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને ઉષા ઇન્ટરનેશનલ કુરીયર એન્ડ કાર્ગો સર્વીસ નામની કંપની પોતે ચલાવી રહ્યા છે. તેમના વેવાઇ બીપીનભાઇ કોટક ભગત મોરારજી કેશવજી ગ્રુપ કોટક એજન્સીના નામે સીઝન સ્ટોર ધરાવે છે.

(3:15 pm IST)