Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં આર.જે.ની જમાવટ

રાજકોટ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં રેડ એફ.એમ.ના આર.જે. ઈશિતા રાજકોટની રાની અને આર.જે.હાર્દિક (રેડ અડ્ડા) શાળાની વિદ્યાર્થીનીઓને મહિલા સશકિતકરણ વિશે મનોરંજન સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ. કાર્યક્રમમાં આર.જે. હાર્દિકનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી ભરતસિંહ પરમારે અને આર.જે. ઈશિતાનું સ્વાગત શાળાના શિક્ષિકાબેન શ્રી ઉર્વશીબેને કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જશવંતીબેને કર્યુ હતું. સમગ્ર સ્ટાફ પરીવારે ટ્રસ્ટી શ્રી ડો.અલ્પનાબેન ત્રિવેદીએ શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા.

(4:12 pm IST)