Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

આઇશ્રી ખોડીયાર મંદિરના સ્વયંસેવકો દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ

૧૫ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં ૨૦૦ વસ્તુઓ : રકતદાન કેમ્પ

રાજકોટઃ તા.૨, આઇશ્રી ખોડીયાર મંદિર (૧૦-કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ) દ્વારા માતાજીના સાનીધ્યમાં આગામી તા.૫ના રવિવારે ૧૫ દિકરીઓના બાવીસ માં સર્વજ્ઞાતી સમુહ લગ્નમહોત્સવનું આયોજન કરેલ છે. તેમા નવવધુને ૨૦૦ થી વધારે કરીયાવરની ચીજ વસ્તુઓ આપવામાં આવશે. સમુહલગ્નની સાથો સાથ  રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા આઈ શ્રી ખોડિયાર મંદિર ના સેવકો ભુવાશ્રી પરસોતમભાઈ એન. દોંગા, પ્રતિપાલસિંદ ચુડાસમા, ઉકાભાઈ લાવડીયા. દામજીભાઈ વેકરીયા, અશ્વિનભાઈ રામાણી, બટુકભાઈ મોણપરા, કિશોરભાઈ લીંબાસીયા, મોહનભાઈ ગોહેલ, ગોબરભાઈ દોંગા, સુરેશભાઈ દોંગા, વિશાલભાઈ કોઠારી, રમેશભાઈ દોંગા, ધીરૂભાઈ દોંગા, હેમંતભાઈ દોંગા, ગીરધરભાઈ રૈયાણી, નાથાભાઈ ઢીબડીયા, હિતેશભાઈ આસોદરીયા,   મુકેશભાઈ વસોયા, રમેશભાઈ વીરડીયા, સમીરભાઈ કાપડીયા, ચંદુભાઈ ચાંદીવાળા, જીગ્નેશભાઈ ટીબડીયા, સનતભાઈ ગોહેલ, વૈભવભાઈ ફીચડીયા   વિ. જહેમત ઉઠાવી રહયા છે.

સ્થળઃ લકકીરાજ પાર્ટીપ્લોટ, ભાવનગર હાઇવે, આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે, રાજકોટ

તસ્વીરમાં ભુવાશ્રી  પરસોતમભાઈ  દોંગા, આકાશ પી. દોંગા, દામજીભાઇ વેકરીયા, મોહનભાઇ  ગોહેલ, ગોબરભાઇ દોંગા, મુકેશભાઇ વસોયા અને કાર્તિકભાઇ આસોદરીયા નજરે પડે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(4:10 pm IST)