Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કલેકટરનું જમ્બો બોર્ડઃ ૧૧ર કેસની સુનાવણી

૧૯૯૯ પછીના રેવન્યુ-પુરવઠા-બીન ખેતી સહીતનાં કેસ હાથ ઉપર લેતા કલેકટર

રાજકોટ, તા., ૨: જીલ્લા કલેકટરનું જમ્બો બોર્ડ મળનાર છે. જેમાં ૧૧ર કેસની સુનાવણી હાથ ઉપર લેવાશે.

આ અંગે સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ ૧૯૯૯ પછી કલેકટર તંત્ર દ્વારા જમ્બો બોર્ડ યોજાઇ રહયું છે. જેમાં ૬૬ જેટલા રેવન્યુના કેસ ઉપરાંત ખરાબાની જમીન, પુરવઠા વિભાગ, બીન ખેતી સહિતના અનેક કેસોની સુનવણી થશે.

જાણવા મળ્યા મુજબ ગોંડલના એક વોરા અગ્રણીની જમીન બાબતે તથા ઇન્ડીયન એરલાઇન્સના પ્રકરણ અંગે પણ આ બોર્ડમાં નિર્ણય લેવાનાર છે. આ ઉપરાંત મોરબીના પ્રકરણો પણ હાથ ઉપર લેવા લેવાશે તેમ જાણવા મળ્યું છે.

(4:34 pm IST)