Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોઠારીયા આણંદપરમાં માનસીક બીમારીથી કંટાળી હર્ષાબેન રંગાણીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા. ર : કોઠારીયા આણંદપર ગામમાં રહેતી પટેલ મહિલાએ માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ આણંદપર ગામમાં રહેતા હર્ષાબેન રસીકભાઇ રંગાણી (ઉ.વ.૩પ) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. કાકાજી સસરાનો દિકરો હર્ષાબનને લટકતી હાલતમાં જોઇ જતા તાકીદે ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમ તાકીદે સ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. રાયઘનભાઇ ડાંગર તથા રાઇટર અજીતભાઇ લોખીલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક હર્ષાબેનને સંતાનમાં એક પુત્રી છે. પતિ રસીકભાઇ માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવે છે. માનસીક બીમારીથી કંટાળી જઇ પટેલ મહિલાએ આ પગલું ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

(3:55 pm IST)