Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

સાદવીરત્ના પૂ. વસુબાઈ મહાસતીજીની ગુણાનુવાદ સભા સંપન્ન

સી.એમ.પૌષધશાળા– શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે : આદર્શ યોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજી એવમ પૂ.જશ–ઉતમ–પ્રાણ પરિવારના પૂ. મહાસતીજી આદી ઠાણાના સાનિઘ્ય

રાજકોટ, તા.૨: ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરૂદેવના પરિવારના અઘ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ (બાપજી) મહાસતીજીના સુશિષ્યા સાઘ્વીરત્ના પૂ. વસુબાઈ મહાસતીજી કાળધર્મ પામતા તા. ૧/૪/૧૯ ને સોમવારના રોજ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ–સી.એમ.પૌષધશાળાના આંગણે આદર્શ યોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજી એવમ પૂ. જશ–ઉતમ–પ્રાણ સંઘાણી પરિવારના પૂ. મહાસતીજીઓના સાનિઘ્યમાં ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ હતી.

સાઘ્વીરત્ના પૂ. સંગીતાબાઈ મ.સ., સાઘ્વીરત્ના પૂ. અર્પીતાબાઈ મ.સ., સાઘ્વીરત્ના પૂ. સ્મીતાબાઈ મ.સ., સાઘ્વીરત્ના પૂ. હસ્મીતાબાઈ મ.સ. તથા પૂ. જશ–ઉતમ–પ્રાણ પરિવારના પધારેલા પૂ. મહાસતીજીઓએ ભાવાંજલી અર્પણ કરેલ હતી. જૈન અગ્રણી સર્વશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, હિતેષભાઈ બાટવીયા, હરેશભાઈ વોરા, કિરીટભાઈ શેઠ, ભરતભાઈ દોશી, મનોજભાઈ ડેલીવાળા, સુશીલભાઈ ગોડા,પરેશભાઈ સંઘાણી,મનોજભાઈ મહેતા વિગેરે સંઘોના હોદેદારોએ સાઘ્વીરત્ન પૂ. વસુબાઈ મહાસતીજીને ભાવાંજલી અર્પણ કરેલ હતી. શ્રાવક–શ્રાવિકાઓ તથા ભાઈ–બહેનોએ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત રહી પૂ. મહાસતીજીઓના સદગુણોનું સ્મરણ કરેલ હતુ.

સાઘ્વીરત્ના પૂ. વસુબાઈ મહાસતીજી નો ૬૦ વર્ષનો દીક્ષાપર્યાય હતો, તેમજ સાઘ્વીરત્ના પૂ. વસુબાઈ મહાસતીજી સતત સાધનામય રહેતા તથા નિઃસ્પૃહી આત્મા હતા. લગભગ છ દાયકા પૂર્વે સાવરકુંડલામાં એક સાથે ત્રણ હળુ કર્મિ આત્માઓ            પૂ. પ્રભાબાઈ મહાસતીજી, પૂ. ઉષાબાઈ મહાસતીજી તથા પૂ. વસુબાઈ મહાસતીજી એ સંયમ અંગીકાર કરેલ. તેઓએ વિ.સં. ર૦૧પ ચૈત્ર વદ પાંચમાં સાવરકુંડલાની પાવન અને પુણ્યભૂમિ ઉપર તપ સમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી કરેમિ ભંતેનો દીક્ષા મંત્ર ભણી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ હતો.

(3:42 pm IST)