Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

રૈયા રોડ, અમીન માર્ગ, અક્ષર રોડ અને ગોંડલ રોડ પર બપોરે અઢી વાગ્યે પચ્ચીસેક શખ્સોનું ટોળુ બંધ કરાવવા નીકળ્યું

રાજકોટ તા. ૨: સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એકટમાં કરેલા સુધારાને પગલે દલિત સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું હોઇ રાજકોટ શહેરમાં ઠેર-ઠેર દલિત સમાજના યુવાનો બાઇક પર નીળકયા હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં. બપોરે બે વાગ્યા આસપાસ કિસાનપરા ચોકથી બાઇક પર ૨૫-૩૦ લોકો બાઇક પર સવાર થઇને રૈયા રોડ તરફ નીકળ્યા હતાં અને ઠેર-ઠેર બંધ કરો-બંધ કરો...ના નારા લગાવ્યા હતાં. પોલીસને જાણ થતાં મોબાઇલ દોડાવાઇ હતી. પરંતુ એ પહેલા આ લોકો નીકળી ગયા હતાં. આ ઉપરાંત અમીન માર્ગ, અક્ષર માર્ગ, ગોંડલ રોડ ઉપર પણ બપોરે અઢી વાગ્યે ટોળુ બંધ કરાવવા નીકળ્યાનું જાણવા મળે છે.  (૧૪.૧૭)

(3:59 pm IST)