Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

મોડી રાત્રે સોરઠીયાવાડી પાસે એસ.ટી બસના કાચ ફોડાયા બાદ દરેક ડેપોમાં એલર્ટ : હાલ વ્યવહાર રાબેતા મુજબ ડેપોમાં સઘન પોલીસ બંદોબસ્ત : ડેપો મેનેજરોને ડેપોમાં જ હાજર રહેવા આદેશો

રાજકોટ, તા.૨ : આજે ભારત બંધનું એલાન અપાયું છે, ગત મોડી રાત્રે સોરઠીયાવાડી ચોકથી આગળ આંબેડકરનગર પાસે એસ.ટી. બસ ઉપર પથ્થરમારોથી બારીના કાચનો ભુકકો બોલી ગયો હતો, મુસાફરોમાં ભારે ભય ફેલાયો હતો, દરમિયાન આ ઘટના બાદ મોડી રાતથી રાજકોટ એસ.ટી. ડીવીઝનના તમામ ૧૪ ડેપો ઉપર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, કોઇપણ નિર્ણય લેવા સંદભને તમામ ડેપો મેનજરો અને અધિકારીઓને ડેપો ઉપરજ હાજર રહેવા ડિવીઝનલ નિયામક શ્રી જેમ્લાએ તાકીદ કરી છે. ડ્રાઇવર - કંડકટરોને જોખમ લાગે ત્યાં બસો નહિ ચલાવા અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં બસો રાખી દેવા સૂચના અપાઇ છે.

(12:12 pm IST)