Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના મંત્રી પદે નાથાભાઇ પ્રજાપતિની નિયુકિત

રાજકોટ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એઆઇસીસી સમિતિ ઓબીસી વિભાગ, ન્યુ દિલ્હી ચેરમેન શ્રી તામ્રધ્વજ સાહુજીની સુચના અન્વયે રાજકોટના નાથાભાઇ ઠાકરશીભાઇ આંબલીયા (પ્રજાપતિ)ની ગુજરાત પ્રદેશ ઓબીસી વિભાગના મંત્રી તરીકે નિમણુંક કરવામા઼ આવેલ હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ ગઢવીની યાદીમા જણાવાયું છે.રાજકોટ પ્રજાપતિ સમાજના અગ્રણી નાથાભાઇ છેલ્લા ૩૦ વર્ષથી અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજ, વડોદરા સાથે સંકળાયેલા છે. પ્રજાપતિ જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે ગાંધીનગર ખાતે થયેલ સક્રિય રજુઆતો માટે તત્કાલીન મુખ્યમંત્રીને મળેલ પ્રતિનિધિ મંડળમાં તેઓ અગ્રસ્થાને હતા. પ્રજાપતિ જ્ઞાતિને લઇને ઓબીસીમાં સમાવવા માટે તેઓનું અનન્ય યોગદાન છે. નાથાભાઇને મો.૯૮રપ૮ ૬૮પ૬૮ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(4:42 pm IST)