Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રેલનગરમાં બીલ્ડીંગની અગાસી પરથી પડી જતા મહેશભાઇ ઉગરેજાનું મોત

આપઘાત કે અકસ્માત? તે જાણવા પોલીસની તપાસ

રાજકોટ, તા.૨: રેલનગરમાં અંડરબ્રીજ પાસે આવેલા ત્રણ માળના બીલ્ડીંગની અગાશી પરથી પડી જતા યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સંતોષીનગરમાં રહેતો મહેશ પ્રફુલભાઇ ઉગરેજા (ઉ.વ.૨૫) સાંજે પોતાના ઘરેથી નશાની હાલતમાં ઘરેથી નીકળ્યા બાદ રેલનગર-૧ અન્ડરબ્રીજ પાસે પાણીના ટાંકા નજીક આવેલ ગોકુલ એપાર્ટમેન્ટની અગાશી પરથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક બે બહેનોનો એકનો એક ભાઇ હતો. તે મજૂરીકામ કરતો હતો. તે નશાની હાલતમાં એપાર્ટમેન્ટની અગાશી પરથી પટકાયો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ તથા રાઇટર રામજીભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

(4:40 pm IST)