Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બહેનોને રાશન કીટનું વિતરણ

રાજકોટ : જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્થાપના દિવસ નિમિતે જરૂરતમંદ નિરાધાર વિધવા ૪૫ બહેનોને રાશન કીટ વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાય ગયો. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, પ્રાગજીભાઇ કાકડીયા, પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, વાલજીભાઇ ચાવડા, શ્રી ધ્રાંગા, ભરતભાઇ બારડ, પીપળીયા સત્સંગ મંડળના પ્રમુખ ચંદુભાઇ મૈયડ વગેરે ઉપસ્થિત રહેલ. મહીલા પાંખના શીતલબેન મૈયડ, ગીતાબેન સોજીત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના સ્થાપક પ્રમુખ સવજીભાઇ મૈયડે સમયાંતરે હાથ ધરાતા રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સર્વજ્ઞાતિ સમુહલગ્ન સહીતની પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડી. કે. ભૂત, વી. સી. પરમાર, વિનુભાઇ સિંહાર, દીલીપભાઇ સિંહાર, અશોકભાઇ સેતા, હસુભાઇ ચાવડા, ધીરૂભાઇ મૈયડ, મનુભાઇ પટેલ, આર. ડી. સોજીત્રા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, રીન્કુભાઇ મૈયડ, લખનભાઇ સિધ્ધપુરા, એડવોકેટ વિમલ ડાંગર, હસુભાઇ પરમાર, કીરીટભાઇ મૈયડ, ભરત સોલંકી, જીતેશ મૈયડ, શંભુભાઇ, કાનાભાઇ, ચુનીભાઇ, સુરેશ કંસારા, જગુભાઇ ચાવડા, સાગર કારેલીયા, જીતેન્દ્ર મોન્ટુ સિધ્ધપુરા, મયુર મિયાત્રા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)