Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયાપ્રેમીઓ મેદાનમાં : ૧૦મીથી કરૂણા અભિયાન

રાજય સરકારના સહયોગથી ગુજરાતભરમાં પાયાની વ્યવસ્થા ગોઠવાશેઃ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ થશે : ગુરૂવારે અમદાવાદમાં મીટીંગ

 રાજકોટઃ તા.૨, ઉતરાયણ પર પંતગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા સમગ્ર રાજયમાં જીવદયાપ્રેમીઓ દ્વારા પાયાની  વ્યવસ્થા ગોઠવાશે. જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ ૧૦ થી તા.૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર  ગુજરાતમાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલા પક્ષીને સારવાર આપવાનું આયોજન કરવામાં આવશે.

 આ અભિયાનમાં જીવદયા પ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરી અને તેમને આ કરૂણા અભિયાનમાં મોટાચાયે સાંકળવું એ અતિ મહત્વનો અભિગમ રહેનાર છે. આ અન્વયે દરેક જીલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઇન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનમાં પશુપાલન વિભાગ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, ડેરી તેમજ દુધ મંડળી તેમજ અન્ય વેટરનરી ડોકટરોને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ કાર્યક્રમોનું તેમજ મોબાઇલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પાલનપુર, મહેસાણામાં ઘવાયેલા બિમાર પશુ-પક્ષીઓની સ્થળ પરજ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી નિઃશુલ્ક સારવાર માટે શ્રી કરૂણા એનીમલ એમ્બુલર્ન્સ (સંપર્કઃ ટોલ ફિ નંબરઃ૧૯૬૨) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાઇ છે.

શ્રી કરૂણા એનીમલ એમ્બુસન્સની વિશેષ માહિતી, ઓડિયો, વિડીયો, પ્રેઝન્ટેશન, ભવિષ્યના સંકલ્પો તેમજ મકરસંક્રાતિના દિવસોમાં પતંગના દોરાથી ઘવાતા પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે શરૂ થયેલા '' કરૂણા અભિયાન'' ને સમગ્ર રાજયમાં વેગવંતુ કરવા ગુજરાતના જીવદયાપ્રેમીઓની એક અગત્યની મીટીંગનું આયોજન કરાયું છે.

પશુપાલન ખાતાના મંત્રી શ્રી આર. સી. ફળદુએ શુભેચ્છા આપી છે. આ મીટીંગમાં ડો. કાછીયા પટેલ (પશુપાલન નિયામક) હાજર રહેશે. જીવીકેઈએમઆરઆઈના ચીફ ઓપરેટીંગ ઓફીસર શ્રી જશવંત પ્રજાપતિ માર્ગદર્શન આપશે.

મીટીંગ સ્થળ : જી. વી. કે. ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, ગુજરાત- ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કાઠાવાડા રોડ, નરોડા, અમદાવાદ ખાતે તા.૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે મીટીંગની વ્યવસ્થા અંગે રોહિત શ્રીવાસ્તવ, પ્રોગ્રામ મેનેજર મો. ૯૭૧૨૯ ૭૦૬૭૨નો સંપર્ક કરવો.

વિશેષ સહયોગ સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ તેમજ જીવદયાપ્રેમીઓ મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) તથા પ્રતિકભાઈ સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), ધરણેન્દ્રભાઈ સંઘવી (સુરત, મો. ૯૩૭૬૫ ૩૩૩૭૭), રાજુભાઈ શાહ (ઝાલાવાડ, મો. ૯૮૭૯૪ ૬૧૮૭૬), જયંતિભાઈ દોશી (દિયોદર, ૯૪૨૬૪ ૦૩૭૬૮), દેવેન્દ્રભાઈ જૈન (દક્ષિણ ગુજરાત, ૯૮૨૫૧ ૨૯૧૧૧), રીપલભાઈ શાહ (સુરેન્દ્રનગર, ૯૮૨૪૪ ૭૯૦૯૭), જૈનમભાઈ (મો.૯૪૦૮૧ ૮૯૬૯૭), ડો. સીમરીયા (જામનગર - ૯૨૨૮૧ ૧૭૭૩૬), મુકુંદભાઈ ભાયાણી (સુરજકરાડી, ૯૮૨૪૨ ૧૫૩૭૮), બ્રિજેશભાઈ શાહ (ભાવનગર, મો. ૯૮૭૯૫ ૪૮૮૫૪), તપનભાઈ દવે (હળવદ મો. ૯૭૨૭૩ ૬૬૧૦૦), મહેન્દ્રભાઈ શ્રીમાળી (અમદાવાદ, ૯૪૨૭૦ ૦૦૫૦૧, નિલેશભાઈ રાયચુરા (વાપી, મો. ૯૮૨૫૦ ૫૫૨૨૧), કૌશલભાઈ મહેતા (ભુજ, ૯૪૨૬૨ ૧૫૨૧૩), નેહાબેન પટેલ (વડોદરા, મો.૯૯૦૪૭ ૧૬૯૯૬) સહયોગ આપી રહ્યા છે. આયોજનમાં મિતલભાઈ ખેતાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, જીતુભાઈ ચા વાળા, જીતુભાઈ વસા, ઘનશ્યામભાઈ ઠક્કર, જીતુભાઈ કોઠારી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ઉપેનભાઈ મોદી, મયુરભાઈ શાહ, તનસુખભાઈ દોશી, મુકેશભાઇ બાટવીયા, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશાભઈ શાહ, મનોજભાઈ ડેલીવાળા, મિલનભાઈ મીઠાણી, એડવોકેટ નિલેશભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, ભરતભાઈ ભીમાણી, મીલનભાઈ કોઠારી, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, કિશોરભાઈ કોરડીયા, ભાસ્કરભાઈ પારેખ, અશોકભાઈ મોદી, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, પ્રફુલભાઈ ઘાટલીયા, નીતિનભાઈ દોશી, રમેશભાઈ દોમડીયા, રાજુભાઈ મોદી, દોલતસિંહ ચૌહાણ, વિપુલભાઈ અજમેરા, પ્રકાશ મોદી, પારસ મોદી, હેમા મોદી, એડવોકેટ જીજ્ઞેશભાઈ શાહ, તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, વિજયભાઈ ડોબરીયા, દિનેશભાઈ પટેલ, એડવોકેટ કેતનભાઈ ગોસલીયા, ભરતભાઈ સુરેજા, ભીખુભાઈ ભરવાડા, નિરવ સંઘવી, વિરેશભાઈ બારાઈ, વિવિધ જૈન સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓ, અર્હમ ગ્રુપ, યંગ રાજકોટ ગ્રુપ, જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ, વિજયભાઈ શાહ, હર્ષદભાઈ મહેતા વગેરે જોડાયા છે.

(3:49 pm IST)