Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગુરૂવારે ગુરૂપ્રસાદ, વાણીયાવાડી, આનંદનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ

વોર્ડ નં.૧૩, ૧૪, ૧૭ના અનેક વિસ્તારો પાણી વિહોણા રહેશે : ટાંકાની સફાઇ માટે પાણી કાપ

રાજકોટ તા.રર : શહેરને પાણી પુરૂ પાડતા ભાદર પાણી યોજના અંતર્ગત ભાદર પાઇપ લાઇન રીપેરીંગ તથા ગુરૂકુલ પમ્પીંગ સફાઇની તા.૪ના ગુરૂવારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય તો વોર્ડ નં.૧૩ (પાર્ટ), ૧૪ (પાર્ટ), ૧૭ (પાર્ટ), ૧૭ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેવાની તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

આ અંગે કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના ઇજનેરની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરને પાણી પુરૂ પાડતા ભાદર પાણી યોજના અંતર્ગત ભાદર પાઇપ લાઇન રીપેરીંગ તથા ગુરૂકુલ પમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સમ્પ સાફ-સફાઇ સબબ તા.૦૪ને ગુરૂવારના રોજ ગુરૂકુલ પમ્પીંગ સ્ટેશન પરથી પાણી મેળવતા વિસ્તારો વોર્ડ નં.૧૩ના ન્યુ પપૈયા, હરીદ્વાર, નવલનગર, ગુરૂપ્રસાદ, દ્વારકેશ પાર્ક તથા વોર્ડ નં.૧૪ના શ્રમજીવી સોસાયટી, ગોપાલનગર, ગીતાનગર, ગાયત્રીનગર, વાણીયાવાડી તથા વોર્ડ નં.૧૭માં આનંદનગર, ગીતાંજલી સોસાયટી, વાલ્કેશ્વર, ગુરૂજન સોસાયટી, ગુલાબનગર સહિતના અડધા વિસ્તારો પાણી વિહોણા રહેશે.

(3:31 pm IST)