Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જાગનાથ વિસ્તારમાં દુર્ગંધયુકત પાણી વિતરણથી રોગચાળાનો ભય

રાજકોટ, તા. ૨ :. શહેરનાં વોર્ડ નં. ૭માં આવેલ જાગનાથ વિસ્તારમાં છેલ્લા બે-ચાર દિવસથી  સતત દુર્ગંધયુકત પાણી વિતરણ થતા રોગચાળો વકરવાનો ભય ઉભો થયો છે.

આ અંગે લતાવાસીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ જાગનાથ પ્લોટમાં આવેલ બે થી ત્રણ એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અત્યંત દુર્ગંધયુકત પાણી વિતરણ થતુ હોય આ વિસ્તારમાં અનેક લોકોને ઝાડા-ઉલ્ટી થયાની ફરીયાદ ઉઠી છે.

આ બાબતે કોર્પોરેશનમાં સત્તાવાર ફરીયાદ નોંધાવવા છતાં ઉકેલ નથી આવ્યો ત્યારે રોગચાળો વકરવાની ભીતી સર્જાઈ છે. હવે આ બાબતે યુદ્ધના ધોરણે પગલા લઈ શુધ્ધ પાણી વિતરણ કરવા આ લતાવાસીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે.

(3:25 pm IST)