Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

બેંગ્લોરની ટ્રીઓ ફાયનાન્સીયલ સર્વિસીસના ડાયરેકટરો સામે રાજકોટની કોર્ટમાં ફરિયાદ

રૂ.૨૫ લાખના ચેકો સ્વીકારાયા વગર પરત ફરતાં

રાજકોટ તા.૨: રાજકોટ શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલ એવરગ્રીન એસોસીએટસના ભાગીદાર ફરીયાદી દિલીપ નાનજીભાઇ સખીયાએ બેંગ્લોરમાં આવેલ ટ્રીઓ ફાયનાન્સીયલ સર્વિસીસ તથા તેના ડાયરેકટરો જયંત વોરા તથા દિક્ષીત વોરાનાઓએ લેન્ડ બેઇઝ સોલાર પાવર પ્લાન્ટનુ ઇલેકટ્રીક તથા સિવિલ કોન્ટ્રકટ બેઇઝનુ કામ કરાવી કામની લેણી રકમ પેટે આપેલ રકમ રૂ.૧૫+૧૦ લાખ મળી રૂ.૨૫ લાખના ચેકો રીટર્ન થતા તે સબંધે બે જુદી જુદી અદાલતમાં ફરીયાદો દાખલ કરતા રાજકોટના એડી.ચીફ જયુડી.મેજી.એ બેગ્લોરમાં આવેલ ટ્રીઓ ફાયનાન્સીયલ સર્વિસીસ તથા જયંત વોરા અને દિક્ષીત વોરાનાઓ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, સાધુ વાસવાણી રોડ પર આવેલ એવરગ્રીન એસોસીએટસ ભાગીદારી પેઢીના ભાગીદાર દિલીપ નાનજીભાઇ સખીયાએ બેગ્લોરમાં આવેલ રાજાજી નગરમાં ઓફીસ ધરાવતા ટ્રીઓ ફાયનાન્સીયલ સર્વિસીસ તથા તેના ડાયરેકટર જયંતભાઇ વોરા તથા દિક્ષીત વોરા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાંએ મતલબની ફરીયાદ કરેલ કે, ફરીયાદી પેઢી લેન્ડ બેઇઝડ સોલાર પાવર પ્લાન્ટનું ઇલેકટ્રીક તથા સિવિલ કોન્ટ્રાકટ બેઇઝ પર દરેક પ્રકારના ખાનગી તથા સરકારી કામો કોન્ટ્રાકટર તરીકે જોબવર્ક માલ મટીરીયલ્સ સાથેનુ કામ કરતા હોય અને આરોપીઓએ ત્રણ મેગા વોટના બે પ્લાન્ટ જેમાં બેંગ્લોરના ભુતાનલ ગામે તથા વિજયાપુરા ગામે પ્રોજેકટો માટે વાતચીત કરી ભાવતાલ નક્કી કરી વર્ક ઓર્ડર આપી તે આધારે ફરીયાદી પેઢીએ કામ શરૂ કરી રકમ રૂ.૩,૦૭,૭૧,૮૦૦નું કામ કરેલ અને વર્ક ઓર્ડર મુજબ આપવાની થતી ૧૦ ટકા એડવાન્સ રકમ ન આપી સદર રકમમાંથી માત્ર કટકે કટકે રૂ.૫૧,૫૧૦૦૦ આપી બાકીની રકમ રૂ.૨,૫૬,૨૦,૮૦૦ રકમ બાકી હોય, તેમાંથી પાર્ટ પેમેન્ટ એટલે કે રકમ રૂ.૨૫,૦૦,૦૦૦ ચુકવવા રકમ  રૂ.૧૫+૧૦ લાખના બે ચેકો ફરીયાદી પેઢી જોગ ઇસ્યુ કરી આપી, લખી આપી સહિ કરી આપી, ચેકો સુપ્રત કરતી વખતે તહોમતદારોએ એવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે, સદર ચેકો ફરીયાદી તેઓના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેકો સ્વીકારાય જશે.

તહોમતદારોના શબ્દો પર ભરોસો રાખી સ્વીકારેલ બન્ને ચેકો ફરીયાદીએ તેઓના બેન્ક ખાતામાં રજુ રાખતા ચેકો સ્વીકારાયેલ નહી અને ફંડસ ઇનસફીશીયન્ટના કારણોસર ચેકો રીટર્ન થતા તેની જાણ તહોમતદારોને કરતા  તહોમતદારોએ યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુતર આપવાના બદલે ઉધ્ધતાઇભર્યુ વર્તન  કરતા ફરીયાદીએ તેના એડવોકેટ મારફત તહોમતદારોને ડીમાન્ડ નોટીસ પાઠેવલ, જે મળી જવા છતા ઓફીશ્યલ પીરીયડમાં ફરીયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ તહોમતદારો વિરૂધ્ધ રાજકોની અદાલતમાં બે ફરીયાદો દાખલ કરી દસ્તાવેજી પુરાવા રજુ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરનો પુરાવો જોતા તહોમતદારોએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ  અન્વયે પ્રથમદર્શનીય ગુનો આચરેલનું ફલિત થતુ હોય, તેથી તહોમતદારો વિરૂધ્ધ કાર્યવાહી કરી યોગ્ય નશ્યતે પહોંચાડવા કરેલ રજુઆતો ગ્રાહય રાખી આરોપીઓને અદાલતમાં બન્ને કેસોમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી એવરગ્રીન એસોસીએટસ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(12:43 pm IST)