Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વિક્રાંત પાંડે સહિત ૧૪ સનદી અધિકારીઓને અધિક સચિવ પદે બઢતી

જયપ્રકાશ શિવહરે, લોચન સહેરા અને સંદીપકુમારને સચિવ કક્ષાએ બઢતી

રાજકોટ, તા. ૧ :. ગુજરાત સરકારે આજે આઈ.એ.અસ. કેડરના અધિકારીઓને બઢતીના હુકમો કર્યા છે. તમામને તે જ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. ૨૦૦૨ની બેચના લોચન સેહરા, સંદીપકુમાર અને જયપ્રકાશ શિવહરેને સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે. જ્યારે ૨૦૦૫ની બેચના રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે સહિત ૧૪ અધિકારીઓને સિલેકશન ગ્રેડ સાથે અધિક સચિવ કક્ષો બઢતી આપવામાં આવી છે.

સિલેકશન ગ્રેડ મેળવનાર અધિકારીઓમાં વિક્રાંત પાંડે, હર્ષદ પટેલ, પી. ભારથી, રણજીતકુમાર જે., કે.ડી. કાપડીયા, કે.એમ. ભીમજીયાણી, ડી.જી. પટેલ, એસ.એમ. પટેલ, આર.જી. ત્રિવેદી, એન.એલ. પુજારા, એચ.કે. પટેલ, વી.એ. વાઘેલા વગેરેનો સમાવેશ થાય છે.

(11:41 am IST)