Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વાંકીયા ગામે ફઇના ઘરે દાઝેલા મિતીયાળાના ૩ વર્ષના શરદનું મોત

રાજકોટ તા. ૨: સાવરકુંડલાના મિતીયાળા ગામે રહેતાં કોળી રાજુભાઇ વિરજીભાઇ પીપળીયાનો પુત્ર શરદ (ઉ.૩) ૨૫મીએ સવારે દસેક વાગ્યે અમરેલીના વાંકીયા ગામે ફઇ સવિતાબેનના ઘરે હતો ત્યારે ગરમ પાણીનું તપેલુ ઢોળાતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું ગત રાત્રે મોત નિપજ્યું છે.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે કાગળો કરી અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃતક શરદ એક બહેનથી નાનો હતો. તેના પિતા રાજેશભાઇના કહેવા મુજબ ૨૫મીએ વાંકીયા ગામે મારા બહેન સવિતાબેનના સાસુની પાણીઢોળ વિધી હોઇ અમે ત્યાં ગયા હતાં ત્યારે શરદ રમતાં-રમતાં ગરમ ગરમ પાણીના તપેલા પાસે જતાં તપેલુ ઢોળાતા દાઝી ગયો હતો.  (૧૪.૫)

 

(10:21 am IST)