Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

લેઉવા પટેલ કારખાનેદારે મંદીથી કંટાળી ઝેર પીધું

ભરતભાઇ તાળાએ સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોતાના કારખાનામાં વખ ઘોળી ભાણેજને જાણ કરી

રાજકોટ તા. ૨: મોરબી રોડ પર ફાટક પાસે ઓમ પાર્ક-૨માં રહેતાં લેઉવા પટેલ કારખાનેદાર ભરતભાઇ કેશવજીભાઇ તાળા (ઉ.૪૦)એ આર્થિક ભીંસથી કંટાળી સાંજે કોઠારીયા ચોકડી પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા પોતાના કામનાથ ઇન્ડસ્ટ્રી નામના ઇમિટેશનના કારખાનામાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ભરતભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં નાના છે અને સંતાનમાં એક પુત્રી છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે જીએસટી આવ્યા બાદ ધંધામાં મંદી આવી ગઇ હોઇ હાલમાં ધંધો ચાલતો ન હોવાથી તે સતત ચિંતામાં રહેતાં હતાં. સાંજે કારખાનામાં જ ઝેર પીધા બાદ ભાણેજ દિવ્યેશને જાણ કરતાં તે તથા પરિવારજનો દોડી ગયા હતાં અને તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સલિમભાઇ અને દિપસિંહે જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:20 am IST)