Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ચારણ ગઢવી સમાજ દ્વારા જાન્યુઆરીમાં સોનલબીજ મહોત્સવઃ શોભાયાત્રા-વિદ્યાર્થી સન્માનનું આયોજન

રાજકોટ તા. ૧ : ચારણ ગઢવી સમાજ રાજકોટ દ્વારા જાન્યુઆરીમાં પરમ વંદનીય આઇશ્રી સોનલ માના ૯૮માં જન્મોત્સવ ધામધુમ પૂર્વક ઉજવણી કરવાનું આયોજન રાજકોટના ખોડીયાર નગર ખાતે આવેલ છે. છેલ્લા ર૮ વર્ષથી ખોડિયાર ગઢવી યુવક મંડળ રાજકોટ દ્વારા સોનલબીજ ઉજવવામાં આવે છે કોરોનાને ધ્યાનમાં રાખીને કોરોનાની ગાઇડ લાઇન મુજબ સોનલબીજની ઉજવણી કરાશે. તા.૩/૧/રર ના સોમવારે રાત્રીના ૯ કલાકે લોકડાયરો યોજાશે તેમજ જુદા જુદા ક્ષેત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવશે. લોકડાયરાના કલાકારો હકાભા ગઢવી, હમીર ગઢવી, ગોવિંદભા પાલિયા તેમજ ખીમજીભાઇ ભરવાડ, ભરતદાન ગઢવી તેમજ યુવરાજ જયદેવભાઇ ગઢવી પોતાની આગવી શૈલીમાં કલાનું રસપાન કરાવશે.

આ પ્રસંગે માતાજી તેમજ સંતો પણ પધારીને આશીર્વાદ આપશે. બીજા દિવસે તા.૪/૧/ર૦રર ને મંગળવારે સવારે ૮-૩૦ કલાકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. જે શોભાયાત્રા ગીતાનગર ગોંડલ રોડ ગાયત્રી મંદિરથી ખોડિયાર નગરમાં પ્રવેશ કરશે.

પૂજય માતાજીની શોભાયાત્રા બાદ મહા આરતી કરીને ત્યારબાદ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન રોકડ પુરસ્કાર આવપામાં આવશે. જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧ર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. રાજકોટ જ્ઞાતિજનોને પધારવા પ્રમુખ પ્રકાશભાઇ ગઢવી, ઉપપ્રમુખ મહિપતભા ગઢવી, મંત્રી પ્રવીણભાઇ વડગામા સંગઠન મંત્રી હમીરભા ગુઢડા, સહમંત્રી ભરતભાઇ નાગૈયા, સહકાર્યકર કનુભા સાબા, શાંતિભા રતન, કરશનભા બુદશી, યુવકમંડળ દેવરાજ બળદા, રવિરાજ ગોલ, દેવરાજ બાવડા, હરેશભાઇ વડગામા, નારૂભા ભાંસડીયા વગેરેએ અનુરોધ કરેલ છે.

તા.૪ ના સવારે ૧૧ કલાકે મંગળવારે કિર્તિદાન ગઢવીનું સન્માન કરવાનો  કાર્યક્રમ પણ રાખેલ છે. તેમના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરાશે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા પ્રકાશભા કવલ (મો. ૯૩ર૮૬ ૬૮૯૦૦), મહિપતભા (મો.૯૯૦૪૧ ૩૯૩૯૪), પ્રવિણભા (મો. ૯૩ર૮૭ ૭પ૦૦પ) સહીતના આગેવાનો નજરે પડે છે.

(3:03 pm IST)