Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વિકાસની અકસીર દવાથી જ દેશનું સામાજીક, આર્થિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત બનશે : ગોવિંદ પટેલ

રાજકોટ : રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કૃષિ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલના સમર્થકોના મોટા સમૂહ દ્વારા ઘર-ઘર, ગલી-ગલી લોકસંપર્ક યાત્રા વેગવંતી બની ગઈ છે. જયાં જાય ત્યાં લોકો 'ગોવિંદ બોલો, ભાજપ બોલો'ની ધૂન બોલાવીને પોતાના લોકસેવક પ્રત્યે વિજયનો વિશ્વાસ વ્યકત કરે છે. ગોવિંદભાઈ પેટલે નરેન્દ્રભાઈને ડોકટર ગણાવીને કહ્યું હતું કે, ડોકટર નરેન્દ્રભાઈ 'વિકાસના ઈન્જેકશન' આપી રહ્યાં છે એટલે જ સમાજમાં કોંગ્રેસના શાસનથી ઘર કરી ગયેલા કોમવાદ, જાતીવાદ, વંશવાદ હવે જડમૂળથી નીકળી જશે.

જૂથ સભામાં ભાજપના શાસનમાં થયેલા વિકાસ કામોની સિલસિલાબંધ વિગતોથી લોકોને વાકેફ કરતાં શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ એવા ડોકટર છે જેમની 'વિકાસ'ની દવાથી દેશમાં જાતીવાદ, કોમવાદ, વંશવાદનું ઝેર ઉતરી જશે. વિકાસની અકસીર દવાથી જ દેશનું સામાજિક, આર્થિક સ્વાસ્થ પણ તંદુરસ્ત બનશે.

આ તકે પૂર્વ મેયર શ્રીમતિ રક્ષાબેન બોળિયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ. શ્રીમતિ કિરણબેન સોરઠિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓની સાચી શકિત બહાર લાવનાર નરેન્દ્રભાઈ એક 'વિશ્વપુરૂષ' છે. જયદીપ જલુએ જણાવ્યું હતું કે, વિકાસ પુરૂષ નરેન્દ્રભાઈએ સૌ ગુજરાતીઓનું સ્વમાન 'મૂઠી ઉંચેરૂ' કર્યું છે. તેમ યાદીનાં અંતમાં જણાવાયું છે.

(8:09 pm IST)