Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

લોન ડિફોલ્ટર દિપકકુમાર ધોળકીયાને ચેક રિટર્નનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરની રકમ ચૂકવવા હુકમ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. નાં

રાજકોટ તા. ૧ :.. બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરને માટે સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે. વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરીક સહકારી બેંક લિ.ની રૈયા રોડ શાખામાંથી દિપકકુમાર છબીલદાસ ધોળકીયાને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયુ હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો.

જેથી બેંકે તા. ૮-૧૧-ર૦૧૬ નાં રાજકોટની નેગોશીયેલ કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો. દિપકકુમાર છબીલદાસ ધોળકીયાએ મુળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી. આથી એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદાર એન. એચ. વસવેલીયાની કોર્ટે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ દિપકકુાર છબીલદાસ ધોળકીયાને એક વર્ષની જેલની સજા અને ચેક રિર્ટનનાં વળતર રૂપે રૂ. ૭,૬૦,૧૮૩ ની રકમ ચુકવવી. જો ન ચુકવે તો આરોપીને બીજા છ માસની જેલની સજા ફરમાવી હતી.

ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી વિદ્વાન એડવોકેટ શ્રી આર. બી. ગોગીયા, ફરીયાદી ભાવીનભાઇ વેકરીયા હતાં.  ચેક રીર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(3:32 pm IST)