Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જલારામ જયંતિ નિમિતે ઝંડી - સાહિત્યનું વિતરણ

સંત શિરોમણી એવા ભકતરાજ શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. જન્મોત્સવ સમિતિ દ્વારા તા. ૩ ના રવિવારની રથયાત્રામાં  જોડાવા આહવાન આપવા ઠેરઠેર ઝંડીઓ લગાવી સાહિત્ય પત્રીકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ગઇ કાલના કાર્યક્રમમાં જન્મોત્સવ સમિતિના રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઇ છગ, મયંકભાઇ પાંઉ, કલ્પેશભાઇ તન્ના, વજુભાઇ વિઠ્ઠલાણી, રમણભાઇ કોટક, મનીષભાઇ સોનપાલ, ભાવિનભાઇ કોટેચા, જગદીશભાઇ કોટેચા, યોગેશભાઇ પુજારા, મનુભાઇ જોબનપુત્રા, હિતેન્દ્ર વડેરા, અશ્વિનભાઇ મીરાણી, નરેન્દ્રભાઇ ખોલીયા, પૂર્વ મેયર ડો. જયમનભાઇ ઉપાધ્યાય, સંજયભાઇ વસંત, મનોજભાઇ જસાણી, જય વસંત, ડો. કૃણાલભાઇ વસંત, ડો. ગોપીબેન વસંત, બીપીનભાઇ ગાંધી, જીતુભાઇ લાખાણી, જીતેન્દ્ર ચંદારાણા, ભદ્રેશભાઇ રાયઠ્ઠઠા, પ્રવિણભાઇ જોબનપુત્રા, વિજયભાઇ કારીયા, એડવોકેટ જયેશભાઇ જાની, જેઠાભાઇ મંગચા, વિનોદભાઇ પોપટ, જયદીપભાઇ કોટક, ભાવેશ સવાણી, રાજુભાઇ ચોટાઇ, સતીષ વડેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં ઝંડી સાહિત્યના કરાતા વિતરણ સમયની તસ્વીર નજરે પડે છે.

(3:28 pm IST)