Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિએ મહાઆરતી-મહાપ્રસાદના કાર્યક્રમો

આશરે ૫૦ વર્ષ જૂની સંસ્થાના કાર્યકરો ભાવિકો માટે કઢી, ખીચડી, ગુંદી, ગાઠીયા, સંભારાનો પ્રસાદ : કુંદનબેન રાજાણી

રાજકોટ, તા. ૧ : આગામી તા.૩ નવેમ્બરના પૂજય શ્રી જલારામ બાપાની ૨૨૦મી પૂણ્યતિથિ અતિ ભવ્ય રીતે ઉજવાશે. શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ૫૦ વર્ષથી નાત કે ધર્મના ભેદભાવ વગર અનેકવિધ સેવા પ્રવૃતિ કરી રહ્યુ છે. ટ્રસ્ટ ફકત મહિલા સંચાલિત છે. સારા માઠા પ્રસંગે વાસણ, લાઈટ, જગ્યા નિઃશુલ્ક આપવામાં આવે છે.

તા.૩ નવેમ્બરના બપોરની આરતી દક્ષાબેન કે. અઢીયા, શ્રીમતી ક્રીષ્નાબેન રાજુભાઈ ચોટાઈ, રેખાબેન ભરતભાઈ નથવાણી, રમેશભાઈ ઠક્કર, ગીરીરાજ હોસ્પિટલ, જયેશભાઈ નથવાણીના હસ્તે ઉતારવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય આરતી જયશ્રીબેન ખગ્રામ, કાન્તાબેન કોટેચા, હંસાબેન પંડ્યા, કુન્દનબેન રાજાણી ઉતારશે. ત્યારબાદ મહાપ્રસાદનો દશથી પંદર હજાર ભાવિકો લાભ લેશે. જમણવારમાં બુંદી ગાઠીયા ખીચડી, કઢી, શાક, સંભારો જમાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ મેઘાણી રંગભવન વિભાગ-૨ ભકિતનગર સર્કલ પાસે યોજાશે. સમગ્ર કાર્યક્રમ તથા જમણવારની વ્યવસ્થા દિલીપભાઈ જોષી ગ્રુપ બાપા સીતારામ મિત્ર મંડળ, રંગીલા હનુમાન સેવામંડળ ગલાભાઈ ભરવાડ ગ્રુપ તથા કષ્ટભંજનદેવ હનુમાન મિત્ર મંડળ પરસાણાનગર સંભાળશે. નિઃશુલ્ક વિડીયો શૂટીંગ, ફોટોગ્રાફી સમીરભાઈ સેવા આપશે.

સાંજે ૫ થી ૧૧ સુધી ટ્રસ્ટના પુષ્પાબેન, ગૌરીબેન, મધુબેન, પ્રેમીલાબેન, જયોતિબેન, પુષ્પાબા, કુસુમબેન, દિવાળીબેન, શારદાબેન, બાપાના ભજનની રમઝટ બોલાવશે. તબલા ઉપર અશોકભાઈ વ્યાસ તથા ઓરગન અશ્વિનભાઈ વગાડશે.

ટ્રસ્ટના કાર્યમાં દક્ષાબેન કુમારભાઈ અઢીયા, ક્રીષ્નાબેન રાજુભાઈ રસીકભાઈ ચેવડાવાળા, શ્રી હરી કૃપા, હંસાબેન છબીલદાસ શીંગાળા, ક્રિષ્ેનાબેન બંસીભાઈ લંડન, સુશીલાબેન દત્તાણી, લંડન, અનીલાબેન પ્રવિણભાઈ રૂપાણી, લંડન, કુન્દનબેન દિલીપભાઈ ગણાત્રા પરીવાર, અજયભાઇ ગોવિંદભાઈ નથવાણી, ઠાકરશીભાઈ કટકીયા, સુરેશભાઈ રાયઠઠ્ઠા, નવનીતભાઈ રાયઠઠ્ઠા, નિર્મળાબેન જીવરાજાની, નવીનભાઈ બાવીશી, હસુ ઈન્ડસ્ટ્રીઝ, જયશ્રીબેન ખગ્રામ, કાંતાબેન કોટેચા, હિતેષભાઈ વીહીરવાની મુંબઈનો સહયોગ મળેલ છે તેમ શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ કુન્દનબેન રાજાણીનો મો.૯૮૨૪૩ ૭૨૧૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:27 pm IST)