Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

શેઠ પરિવારને સાંત્વના પાઠવતા વિજયભાઈ- અંજલીબેન

જૈન શ્રેષ્ઠી ચંન્દ્રકાન્તભાઈના ધર્મપત્ની સરયુબેનનું તાજેતરમાં નિધન થતા

રાજકોટઃ ધર્માનુરાગી સરયુબેન ચંદ્રકાન્તભાઈ શેઠનું થોડા દિવસ પૂર્વે દેહાવસાન થયેલ.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ તથા અંજલીબેને ચંદ્રકાન્તભાઈ શેઠના  નિવાસ સ્થાને આવી સમગ્ર શેઠ પરિવારને સાંત્વના, હિંમત, હૂંફ અને દિલસોજી પાઠવેલ.

મુખ્યમંત્રીશ્રીએ સદ્દગત સરયુબેનની ધર્મભાવના સાથે રાષ્ટ્ર પ્રેમને પણ યાદ કરતાં કહ્યું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે  સરયુબેનની નાદુરસ્ત તબિયત હોવા છતાં ઓકસીજન બોટલ સાથે મતદાન કરવા આવી સરયુબેને મતદાન કરી રાષ્ટ્રીય ધર્મ નિભાવેલ.

રાજકોટ જૈન સમાજના પ્રવિણભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, ટી.આર.દોશી, અશોકભાઈ મોદી, રાજુભાઈ કેસ્ટ્રોલ, પ્રતાપભાઈ વોરા, કેતનભાઈ શેઠ, સુશીલભાઈ ગોડા, ડી.કે.કોઠારી, વગેરે  ઉપસ્થિત રહી શેઠ પરિવારને દિલસોજી પાઠવેલ. મેયર બીનાબેન આચાર્ય, નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી તથા જીઓ ઈન્ટરનેશનલના વિવિધ સેન્ટરોના  પ્રતિનિધિઓ શેઠ પરિવારના નિવાસ સ્થાને ઉપસ્થિત રહી સદ્દગત સરયુબેનને શ્રધ્ધાંજલિ પાઠવેલ.

(4:01 pm IST)