Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પાંત્રીસેક મામલતદારોને ડે. કલેકટર પદે બઢતી અપાશે

રાજકોટ, તા. ૧ : રાજયમાં મામલતદાર કક્ષાએ એકદમ ટૂંક સમયમાં બઢતી બદલીનો દોર આવી રહ્યો છે. ર૦૧૩ની બેચના પાંત્રીસ જેટલા મામલતદારોને નાયબ કલેકટર તરીકે બઢતી આપવાની  પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. નવરાત્રી-દિવાળીની ભેટ તરીકે બઢતી આવે તેવા સંજોગો છે. નાયબ મામલતદારમાંથી ર૦૧૩માં મામલતદાર બન્યા હવે પ વર્ષમાં નાયબ કલેકટર બનવાનો રસ્તો ખૂલ્યો છે. (૮.૧૮)

(4:12 pm IST)