Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

'નમસ્તે સદા વત્સલે...' : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરાટ પથસંચલન

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રણછોડનગર વિસ્તારમાં વિરાટ પથ સંચલન કરવામાં આવેલ. બે ઘોષ બેન્ડના પથક સાથેના આ સંચલનમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા. રાજમાર્ગો પર અનેક નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પવિત્ર ભગવા ધ્વજનું પુષ્પો દ્વારા અભિવાદન કરાયુ હતુ. ભારત માતા કી જયના ઉદ્દઘોષથી વાતાવરણ રાષ્ટ્રભકિતમય બની રહ્યુ હતુ. શિસ્તબધ્ધ રીતે પસાર થતા સંચલનને નાગરીકો નિહાળતા જ રહી ગયા હતા. તસ્વીરમાં પથસંચલનનું દ્રશ્ય નજરે પડે છે. (૧૬.૪)

(4:03 pm IST)