Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

તુષીત પાનેરીની પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગમાં પ્રદેશ મહામંત્રી પદે નિમણુંક

રાજકોટઃ તા.૧, યુવા કાર્યકર તુષીત પાનેરીની પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ગત વર્ષ નવેમ્બર ૨૦૧૮માં રાજકોટ શહેર કોંગ્રેસના પુર્વ કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુત દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. વર્તમાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઇ ચાવડાની સુચનાથી તથા તેઓની વિનંતીને ધ્યાને લઇ સસ્પેન્સન રદ કરી પુનઃ લોકસેવા માટે કોંગ્રેસ પરિવારમાં સમાવેલ છે. તેઓના સસ્પેન્શન અંગે એઆઇસીસીના ખજાનચી અને રાજયસભાના સાંસદ અહેમદભાઇ પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ  ચાવડા પુર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થભાઇ પટેલ, એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવર્તકા શકિતસિંહજી ગોહીલ એઆઇસીસીના રાષ્ટ્રીય સેક્રેટરી દિપકભાઇ બાબરીયા, પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાને રજુઆત કરી હતી.

ગુજરાત કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ ઉમાકાન્ત માંકડે પ્રદેશ કોંગ્રેસ  વિચાર વિભાગમાં પ્રદેશ મહામંત્રી તરીકેની તુષીત પાનેરીની નિયુકતી કરવામાં આવી છે.  તુષીત પાહોરી (મો.૯૪૨૭૨ ૪૨૨૫૩)યુવા કોંગ્રેસમાં ૬૯ વિધાનસભામાં મહામંત્રી રાજકોટ શહેર કોંગ્રેસમાં મહામંત્રી તેમજ સસ્પેન્ડ થયા ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

(4:18 pm IST)