Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પરિણિતાને ત્રાસ આપી કરીયાવર ઓળવી જવા અંગે જયોતિષ પરિવારનો છૂટકારો

રાજકોટ,તા. ૧: પરિણિતાનો કરીયાવર ઓળવી જઇ ત્રાસ આપવા અંગે અત્રેના સાંકળેશ્વર જયોતિષ પરિવારનો નિદોર્ષ છુટકારો કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે, રાજકોટના બેકબોન શોપીંગ સેન્ટરમાં જયોતિષ કાર્યલાય ધરાવતા રાજેન્દ્રભાઇ સેવકભાઇ જોશીના પુત્ર હિરેનભાઇની પત્નિ અંકિતાબેન જોશીએ પતિ તેમજ સાસુ-સસરા, બે નણંદ અને નણંદોયા વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરિયાદીને અવાર-નવાર સ્ત્રીધન કરીયાવરની માંગણી કરી શારીરીક, માનસીક દુઃખ ત્રાસ આપી ફરિયાદીનો સ્ત્રીધન કરીયાવરનો સામાન ઓળવી જવા અંગેની વિગતવાર ફરીયાદ આપેલી.

આ કામે ફરિયાદપક્ષનો વિગતવાર પુરાવો લીધા પછી બચાવપક્ષની દલીલો તથા ઉલટ તપાસની વિગતો અને ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ ધ્યાને લઇને રાજકોટનાં અધિક ચીફ જ્યુડી, મેજીસ્ટ્રેટ મકરાણીએ આ જયોતિષ પરિવારને નિર્દોષ છોડી ફરમાવતો હૂકમ કરેલ છે. આ કામે આશરે ચારેક વર્ષ જેવી લાંબી કાનુની તકરારોના અંતે સાસરીયાઓને અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે અને આ કામે બચાવપક્ષે વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી કેતન એન.સિધવા તથા આઇ.બી. જાડેજાભાઇ રોકાયેલ હતા.

(3:12 pm IST)