Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

નરેન્દ્રભાઈના શપથવિધિ સમારંભમાં વિદેશ રહેતા મુળ નિવાસી ભારતીયોની પણ ઉપસ્થિત

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીલ્હી ખાતે રાષ્ટ્રપતિભવનમાં શપથ લીધા હતા. આ શપથવિધી સમારોહમાં દેશભરમાંથી અમુક મહાનુભાવોને આમંત્રીત કરાયા હતા. તો વિદેશમાં પણ અગ્રણીઓને આમંત્રીત કરાયા હતા. મુળ ભારતીય અને હાલ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ રહેતા કેયુર કામદાર, ડો.સચિન દહીયા, જય શાહ, રાહુલ જેથી, અંકુર પટેલ અને દેવ ભારદ્વાજ આ સમારંભમાં  ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે કેયુર કામદાર મુળ રાજકોટના છે અને છેલ્લા ૧૨ વર્ષથી ઓસ્ટ્રેલીયા ખાતે સ્થાયી છે. તેઓ જાણીતા કરવેરા સલાહકાર સ્વ.યોગેશભાઈ કામદારના પુત્ર તેમજ યુવા કરવેરા એડવોકેટ હેમલ કામદારના મોટાભાઈ છે.

(3:57 pm IST)