Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પૂ. પારસમુનિની નિશ્રામાં

પૂ.નર્મદાબાઇ મ.સ.ની ગુણાનુવાદ સભા કાલે જામનગર તથા સોમવારે કાલાવડમાં યોજાશે

રાજકોટ તા. ૧ :.. ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. ના સુશિષ્ય સદ્્ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. જામખંભાળીયા, લાલપુર, મીઠાપુર, આરાધનાધામ, દ્વારકા વગેરે સંઘોમાં સ્પર્શના કરી પ્રવચન આદિનો લાભ આપી તા. ર ના પૂ. ધનકુંવરબાઇ મ.સ.ના ઉપાશ્રયે જામનગર શ્રી સંઘમાં પધારશે. સવારે ૮.૩૦ જપ, ૮.૩૦ થી ૯ નવકારશી અને ૯ થી ૧૦ અનશન આરાધક પૂ. નર્મદાબાઇ મ.સ.ની ગુણાનુવાદ સભા, શ્રી દશાશ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા -જામનગરવાડી, રાજગોર શેરી નં. ૧ માં રાખેલ. જામનગરમાં બિરાજીત સર્વ સંત-સતીજી તથા સર્વ સંઘો ત્યાં ગુણાનુવાદ સભામાં પધારશે. તેમ બેંક કોલોની સંઘ વતી પ્રાણલાલભાઇ દોશીએ જણાવેલ.

તા. ૩ ને સોમવારે પૂ. ગુરૂદેવ જામનગરથી વિહાર કરી સવારે ૮.૪પ કલાકે કાલાવડ પધારશે. કાલાવડ શ્રી સંઘમાં પૂ. ગુરૂદેવ ર૧ વર્ષે પધારી રહ્યા છે. શ્રી સંઘ ખૂબ ઉત્સાહિત છે. પૂ. નર્મદાબાઇ મ.સ.ની ગુણાનુવાદ સભા તેમના ગામ કાલાવડમાં તા. ૩ ના ૩.૩૦ થી ૪.૩૦ રાખવામાં આવેલ છે. તેમ સંઘ પ્રમુખ પ્રફુલભાઇ સી. મહેતાની યાદીમાં જણાવેલ છે.

(11:43 am IST)