Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

રૈયાધારના રમેશભાઇ કોળીનો આર્થિક ભીંસને લીધે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

બિસ્કીટની કંપનીમાં સેલ્સમેન હતાં: માધાપર ગામથી મોરબી બાયપાસ પુલ નીચે બનાવ

રાજકોટ તા. ૧: રૈયાધારના કોળી આધેડએ માધાપર ગામથી મોરબી રોડ જવાના બાયપાસ નીચે ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આર્થિક ભીંસને કારણે પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

સવારે માધાપર ગામથી મોરબી રોડના પુલ નીચે અજાણ્યા આધેડ ટ્રેન હેઠળ કપાઇ ગયાની જાણ થતાં ગાંધીગ્રામના એએસઆઇ મહેશભાઇ લુવા તથા રાઇટર પરાક્રમસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ઓળખ કાર્ડને આધારે તપાસ થતાં મૃતક વ્યકિત રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતાં રમેશભાઇ ધનજીભાઇ મેમરીયા (કોળી) (ઉ.૪૫) હોવાનું ખુલતાં પોલીસે તેમેના પરિવારજનોને બોલાવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રમેશભાઇ બિસ્કીટની કંપનીના સેલ્સમેન હતાં. સંતાનમાં એક પુત્ર છે. હાલમાં આર્થિક ભીંસ ઉદ્દભવી હોઇ કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું.

(4:09 pm IST)