Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

મહિલા પોલીસ મથકના લોક દરબારમાં ૩૬ દંપતિ વચ્ચે થયું સુખદ સમાધાન

શહેરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં થયેલી અરજીમાં ગુના નોંધવાની તૈયારીઓ થઈ રહી હતી અને તે અંગેની મંજુરી પણ મળી ગઈ હતી પરંતુ મહિલા અને તેના પતિ સહિતના પરિવારજનોનું જીવન અસ્તવ્યસ્ત ન થાય અને ગૃહ જીવન સારી રીતે ચાલે તે હેતુથી મહિલા પોલીસ દ્વારા ગઈકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે મહિલાઓના પ્રશ્નોના નિકાલ માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ લોકદરબારમાં કુલ ૬૧ અરજદારોને સાંભળવામાં આવ્યા હતા અને જેમાંથી મહિલા પોલીસે બન્ને પક્ષને સમજાવતા ૩૬ મહિલા અરજદારોએ પોતાની અરજી પાછી ખેંચી સમાધાન કરાવ્યું હતું. આ લોકદરબારમાં જોઈન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી અને મહિલા પોલીસ મથકના પીઆઈ એસ.આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)