Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પાંચ માસ પહેલા જ પરણેલા ચુનારાવાડના કોળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧: ચુનારાવાડ-૫માં નાથાભાઇ કુમરખાણીયાના મકાનમાં રહેતાં વિજય છગનભાઇ પરમાર (ઉ.૨૨) નામના કોળી યુવાને રાત્રે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આપઘાત કરનાર વિજય બે ભાઇમાં મોટો હતો અને પાંચ માસ પહેલા જ લગ્ન થયા હતાં. તે છુટક મજૂરી કરતો હતો. ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇએ જાણ કરતાં થોરાળાના પી.એસ.આઇ. જે. કે. ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:44 pm IST)