Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અમદાવાદમાં રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન માટે રપ લાખના દાન અર્પતા ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ : શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ શ્રી રા.બ્રા. વિદ્યાર્થી ભુવન-અમદાવાદ.
અમદાવાદના ખાતમુહૂર્ત સમયે ઘણા જ્ઞાતિજનોએ મોટી રકમનું દાન જાહેર કરી, નિર્માણના દાતાશ્રીઓ બનેલ છે. તેમના એક દાતા એટલે ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂએ પચીસ લાખનું દાન જાહેર કરી, નિર્માણના દાતાશ્રી બનેલ છે. તેઓ મોટા ઉદ્યોગપતિ, પૂર્વ પ્રમુખશ્રી શ્રી જ્ઞાતિ સેવા સંઘ તેમજ ધારાસભ્‍ય જેવી સેવાઓ અર્પી, ઉચ્‍ચ કારકિર્દી ધરાવે છે. નિર્માણ કાર્ય શરૂ થતા જ રૂપિયા દશ લાખ જેવી રકમ જમા કરાવી આપેલ. હાલમાં નિર્માણકાર્ય પુરજોશમાં ચાલતુ હોય, નાણાની જરૂરીયાત ઉભી  થતા બાકીના રૂપિયા પંદર લાખ તા. ૩૧-૧ર-ર૦ર૧ ને શુક્રવારે જમા કરાવી આપી, પોતાનું જાહેર કરેલ રૂપિયા પચીસ લાખનુ દાન જમા કરાવી આપી ફરજનિષ્‍ટ બન્‍યા છે. શ્રી ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂએ સમયસર દાન જમા કરાવી, સહકાર આપેલ છે એ બદલ જ્ઞાતિ સેવા સંઘ તેમના પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી ઋણ સ્‍વીકારે છે. તેમ શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘએ જણાવ્‍યું છે.

 

(1:32 pm IST)