Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કલા સંમર્પણ

 શ્રી નિરંજની આર્ટસ દ્વારા પોતાના કલાકારોને બિરદાવવા અને વર્ષભરના કાર્યક્રમોમાં પુરૂષાર્થ વહાવનારાઓને સન્માનીત કરવાનો કાર્યક્રમ તાજેતરમાં બાલભવન ખાતે 'કલા સમર્પણ' શીર્ષકતળે યોજાયો હતો. જેમાં જોરાવરસિંહ જાદવ, હેમકુંવરબા જાદવ, અશ્વિનભાઇ, રાજકુમારીબા, ડો. ભાવેશ જોષી, લલિતભાઇ શુકલ વગેરે ઉપસ્થિત રહેલ અને તેમના હસ્તે શ્રીરંજની આર્ટસના કલાકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ અવસરને કલાકારોએ પણ એનકવિધ કલાકૃતિઓ રજુ કરી મહેમાનોને મનોરંજીત કર્યા હતા. સંસ્થાના પ્રમુખ નિપા દવે, ભારતીબેન દવે, જુગ્તા દવે, અટલ શર્માએ અહીં ઉપસ્થિત રહેલ જોરાવરસિંહ જાદવ તેમજ અન્ય મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાટય લેખક ધર્મેન્દ્ર પંડયાએ કરેલ. (૧૬.૩)

 

(4:06 pm IST)